છત્તીસગઢમાં આજે રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. રાજ્યપાલ રમણ ડેકાએ રાજભવન ખાતે ગજેન્દ્ર યાદવ, રાજેશ અગ્રવાલ અને ગુરુ ખુશવંત સાહેબને મંત્રી તરીકે પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા.
મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ, નાયબ મુખ્યમંત્રીઓ અરુણ સાઓ અને વિજય શર્મા, વિધાનસભાના અધ્યક્ષ ડૉ. રમણ સિંહ અને મંત્રી પરિષદના સભ્યો આ પ્રસંગે હાજર રહ્યા હતા.
Site Admin | ઓગસ્ટ 20, 2025 2:47 પી એમ(PM)
ત્રણ નવા મંત્રીઓના શપથગ્રહણ સાથે છત્તીસગઢમાં રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ.
