જાન્યુઆરી 12, 2026 3:06 પી એમ(PM)

printer

તાપીમાં સોનગઢ ST બસમથક ખાતે જનજાગૃતિ ઝૂંબેશ હેઠળ A-RTO અને 108ની ટુકડી દ્વારા માર્ગ સલામતી અંગે માર્ગદર્શન અપાયું.

તાપીમાં સોનગઢ ST બસમથક ખાતે જનજાગૃતિ ઝૂંબેશ હેઠળ A-RTO અને 108ની ટુકડી દ્વારા માર્ગ સલામતી અંગે માર્ગદર્શન અપાયું. રાષ્ટ્રીય માર્ગ સલામત માસ 2026 અંતર્ગત પરિવહન અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે યાત્રીઓ, ચાલકોમાં ટ્રાફિકના નિયમ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુસર આ ઝૂંબેશ ચાલી રહી છે.
આ કાર્યક્રમમાં સહાયક મોટર વાહન નિરીક્ષક જે. એલ. પંચાલે માર્ગ સલામતીના નિયમ, લાઈસન્સના કાયદા અને ટ્રાફિક ચિહ્નોના મહત્વ અંગે માહિતી આપી. આ સાથે 108ની વ્યવસ્થાપન ટુકડી દ્વારા અકસ્માતના સમયે ગૉલ્ડન અવર એટલે કે, પ્રથમ કલાકની અગત્યતા સમજાવી, ઇજાગ્રસ્ત વ્યક્તિને કેવી રીતે પ્રાથમિક સારવાર આપવી તેનું પ્રત્યક્ષ નિદર્શન કરાયું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.