ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 5, 2024 9:50 એ એમ (AM) | રેલવે

printer

તહેવારોને પગલે રેલવે આજે રાજધાની દિલ્હીથી દેશના વિવિધ ભાગો માટે 22 વિશેષ ટ્રેનનું સંચાલન કરી રહ્યું છે

તહેવારોને પગલે રેલવે આજે રાજધાની દિલ્હીથી દેશના વિવિધ ભાગો માટે 22 વિશેષ ટ્રેનનું સંચાલન કરી રહ્યું છે. આ ટ્રેન સહરસા, જયનગર, પટણા, મુઝફ્ફરપુર, ગોરખપુર, દરભંગા, સિંકદરાબાદ અને માલદા ટાઉન માટે ચલાવવામાં આવી રહી છે.
રેલવે અનુસાર છઠ પૂજા દરમિયાન મુસાફરોની સુવિધા માટે આ મહિને 2 થી 8 નવેમ્બર વચ્ચે 145થી વધુ ટ્રેન ચલાવવામાં આવી રહી છે, જેનાથી પ્રતિ દિવસ બે લાખ વધારાના મુસાફરોને લાભ થઈ રહ્યો છે. રેલવેએ મુસાફરોની સંખ્યા જોતા ગત મહિનાની પહેલી તારીખથી આ મહિનાની 30 તારીખ સુધીમાં સાત હજારથી વધુ વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરી હતી. દરમિયાન લગભગ એક કરોડ યાત્રીઓને તેનો લાભ થયો.