ડાંગમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે ભાજપના મધ્યસ્થ કાર્યાલય કમલમ નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે તેમની સાથે સંગઠન મંત્રી રત્નાકરજી પર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સંબોધન કરતાં શ્રી પાટિલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારે દરેક સમાજનો વિકાસ થાય તે દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે અને ખાસ કરીને આદિવાસી લોકોના વિકાસ પર પણ ધ્યાન આપ્યું છે. તેમેને વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યાલય બનશે ત્યારે તેમાં તમામ માહિતીઓ લોકોને ઉપલબ્ધ થશે સરકારની દરેક યોજનાની પણ માહિતી આ કાર્યાલય માંથી મળી રહેશે.
Site Admin | માર્ચ 30, 2025 3:29 પી એમ(PM)
ડાંગમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે ભાજપના મધ્યસ્થ કાર્યાલય કમલમનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું.
