ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 6, 2024 8:22 એ એમ (AM) | ટપાલ સેવા

printer

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિકાલ માટે અમદાવાદમાં પોસ્ટમાસ્ટર જનરલ, મુખ્યાલય ક્ષેત્ર સ્પીડપોસ્ટ ભવન શાહીબાગ ખાતે 20મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે ડાક અદાલતનું આયોજન કરાયું છે.

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિકાલ માટે અમદાવાદમાં પોસ્ટમાસ્ટર જનરલ, મુખ્યાલય ક્ષેત્ર સ્પીડપોસ્ટ ભવન શાહીબાગ ખાતે 20મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે ડાક અદાલતનું આયોજન કરાયું છે. આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા ઉપરાંત ટપાલ સેવાઓને લગતા અન્ય મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરાશે.
અમદાવાદ મુખ્યાલય ક્ષેત્રને લગતી ટપાલ સેવા સંબંધી ડાક અદાલતમાં રજૂ કરવાની ફરિયાદો શ્રીમતી એમ.એ. પટેલ, સહાયક નિદેશક ડાક સેવા, ફરિયાદ વિભાગ, પોસ્ટમાસ્ટર જનરલ, અમદાવાદ મુખ્યાલય ક્ષેત્ર, સ્પીડપોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ 380004ને તારીખ 10 સપ્ટેમ્બર સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ મળેલ ફરિયાદ ધ્યાનમાં લેવામાં આવશે નહીં..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ