કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, CRPFની કોબ્રા બટાલિયન અને ઝારખંડ પોલીસની સંયુક્ત ટીમે હજારીબાગમાં નક્સલ વિરોધી કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે.
એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે જણાવ્યું હતું કે, આ કાર્યવાહીમાં કુખ્યાત નક્સલ કમાન્ડર સહદેવ સોરેન, જેના પર એક કરોડ રૂપિયાનું ઈનામ હતું, તે માર્યો ગયો છે. સહદેવ સોરેનની સાથે, બે અન્ય ઈનામી નક્સલીઓ – રઘુનાથ હેમ્બ્રમ અને બિરસેન ગંઝુને પણ સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા.
ગૃહમંત્રીએ માહિતી આપી હતી કે આ કાર્યવાહી પછી, ઉત્તર ઝારખંડના બોકારો ક્ષેત્રમાંથી નક્સલવાદ સંપૂર્ણપણે ખતમ થઈ ગયો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ટૂંક સમયમાં આખો દેશ નક્સલવાદની સમસ્યાથી મુક્ત થઈ જશે.
Site Admin | સપ્ટેમ્બર 15, 2025 7:54 પી એમ(PM)
ઝારખંડના હજારીબાગમાં ટોચના ત્રણ નક્સલી ઠાર
