જાન્યુઆરી 10, 2026 9:35 એ એમ (AM)

printer

જૂનાગઢના મહાશિવરાત્રીના મેળાની તર્જ ઉપર સાધુ સંતો અને દિગંબર સાધુઓની રવેડી નીકળી

જૂનાગઢના મહાશિવરાત્રીના મેળાની તર્જ ઉપર ગઇકાલે સાધુ સંતો અને દિગંબર સાધુઓની સોમનાથના શંખ ચોકથી સોમનાથ મંદિર સુધી રવેડી નીકળી હતી. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આ સાધુ-સંતોની ભવ્ય રવાડી દરમિયાન સોમનાથની પવિત્ર ભૂમિ પર ભક્તિ, પરંપરા અને શૌર્યનો અનોખો સંગમ પણ જોવા મળ્યો હતો.રતીય સંસ્કૃતિની પાવન પરંપરાને ઉજાગર કરતી આ રવાડીમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી, સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને ઉર્જા રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ આસ્થાભેર સહભાગી બન્યા હતા.ઉપરાંત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ ધાર્મિક ઉલ્લાસથી છલકાયું હતું. આ રવાડીમાં દિગમ્બર સાધુઓ દ્વારા રજૂ કરાયેલા વિવિધ કરતબોએ લોકોમાં વિશેષ કૌતુક અને આશ્ચર્ય જગાવ્યું હતું. સાધુઓએ પોતાની અદભૂત શારીરિક ક્ષમતાઓ અને સાધનાનો પરિચય આપતાં પરંપરાગત રીતે કરતબો રજૂ કર્યા હતા.