નવેમ્બર 3, 2024 7:27 પી એમ(PM) | દીવાળીના તહેવારના

printer

જુનાગઢમાં દીવાળી વેકેશનને લઇને પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

જુનાગઢમાં દીવાળી વેકેશનને લઇને પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ગિરનાર રોપમાં રોજના 4000 જેટલા પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે. ઉપરકોટના ઐતિહાસિક કિલ્લામાં પણ 10000 જેટલી ટિકિટનું રોજ વેચાણ થતું હોવાનું જનરલ મેનેજર રાજેશ તોલાણીએ કહ્યું હતું.
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આ ચાર દિવસ દરમિયાન 30,000 થી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. તો બીજી તરફ સ્વામિનારાયણ મંદિર અને નરસિંહ મહેતાના ચોરા ખાતે યોજાયેલ અન્નકુટ દર્શનનો પણ મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.
અમારા જૂનાગઢના પ્રતિનિધિ સંજીવ મહેતા જણાવે છ કે, આગામી નવમી નવેમ્બરથી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમા માટે અત્યારથી જ ભવનાથમાં વેપારીઓ નાના-મોટા ધંધાર્થીઓ અને યાત્રિકોની ચહલપહલ શરૂ થઈ છે. અને વહીવટીતંત્ર દ્વારા પૂર્વતૈયારીઓ ચાલી રહી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.