ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 6, 2025 3:34 પી એમ(PM)

printer

જામનગરમાં શ્રી પાંચ નવતનપુરીધામ ખીજડા મંદિરના સ્થાપના દિવસે કારતક પૂનમ નિમિત્તે પૃથ્વી પરિક્રમા યોજાઈ

જામનગરમાં શ્રી પાંચ નવતનપુરીધામ ખીજડા મંદિરના સ્થાપના દિવસે કારતક પૂનમ નિમિત્તે પૃથ્વી પરિક્રમા યોજાઈ. તેમાં સાધુ-સંતો અને મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.
ખીજડા મંદિરેથી હવાઈચોક, સૅન્ટ્રલ બૅન્ક, દરબારગઢ, કાલાવડ નાકા બહાર થઈ ઠેબા ચોકડી પાસે આવેલા 12 હજાર પારાયણ મહામહોત્સવ સ્થળ મૂલ મિલાવા ખાતે આ પદયાત્રા પહોંચી હતી, જ્યાં સંત ગુરુજનોએ ધર્મધ્વજા લહેરાવી મહેર સાગરના પાઠનું પઠન કર્યું હતું. આ પ્રસંગે પધારેલા સુંદરસાથ ભાવિકોએ શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરના નવનિર્માણ માટે પણ સેવાનો ધોધ વહાવ્યો હતો.