જાણીતા કલાકાર લક્ષ્મણ શ્રેષ્ઠાને સ્વર્ગીય વાસુદેવ ગાયતોંડે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકાર દ્રશ્ય કળાના ક્ષેત્રમાં નોંધપાત્રસિદ્ધિ બદલ આ પુરસ્કાર આપે છે. રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ચંદ્રકાંત પાટીલેમંગળવારે આ જાહેરાત કરી હતી. આ પ્રસંગે બોલતા શ્રીપાટીલે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં કલાનો સમૃદ્ધ વારસોછે અને રાજ્યના અનેક કલાકારોએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરીછે. શ્રી પાટીલે લક્ષ્મણ શ્રેષ્ઠાના સતત અને સમર્પિત કાર્યની પ્રશંસા કરી હતી.
Site Admin | ઓક્ટોબર 2, 2024 7:30 પી એમ(PM)
જાણીતા કલાકાર લક્ષ્મણ શ્રેષ્ઠાને સ્વર્ગીય વાસુદેવ ગાયતોંડે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે
