જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ગોરૈયા ગામ ખાતે રૂ. ૨૭.૨૮ લાખના ખર્ચે નિર્માણ પામનારા પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આ આરોગ્ય કેન્દ્ર ખાતે હોસ્પિટલ વિભાગમાં લેબર રૂમ, વેઇટિંગ એરિયા, એકઝામિન રૂમ તેમજ રહેઠાણ વિભાગમાં લિવિંગ-બેડ રૂમની સુવિધા ઉપલબ્ધ કરાશે. આ તકે મહાનુભવોના હસ્તે વિચરતી-વિમુક્ત જાતિના ૬ પરિવારોને રહેણાંક હેતુસર વિનામૂલ્યે ૧૦૦ ચો. વાર પ્લોટનું સનદ વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે શ્રી બાવળિયાએ જસદણ-વિંછીયા પંથકના અંતરિયાળ ગામોના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયાસશીલ હોવાનું જણાવ્યું હતું .
Site Admin | નવેમ્બર 10, 2024 8:23 એ એમ (AM) | કુંવરજીભાઈ બાવળીયા
જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ગોરૈયા ગામ ખાતે રૂ. ૨૭.૨૮ લાખના ખર્ચે નિર્માણ પામનારા પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કર્યું હતું.
