એપ્રિલ 26, 2025 7:49 પી એમ(PM)

printer

જળશક્તિ મંત્રાલય દ્વારા છોટાઉદેપુરનાં સરપંચ ડૉક્ટર બીનાબેન રાઠવાને બેસ્ટ લર્નરનો પુરસ્કાર એનાયત કરાયો.

જળશક્તિ મંત્રાલય દ્વારા છોટાઉદેપુરનાં ડુંગરવાંટ જૂથ ગ્રામ પંચાયતનાં સરપંચ ડૉક્ટર બીનાબેન રાઠવાને બેસ્ટ લર્નરનો પુરસ્કાર એનાયત કરાયો છે. નવી દિલ્હી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સુશ્રી રાઠવાને આ પુરસ્કાર અપાયો.
કાર્યક્રમમાં અલગ અલગ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારાં સરપંચોને વિવિધ પુરસ્કારથી સન્માનિત કરાયા, જેમાંથી ચાર પુરસ્કાર ગુજરાતને મળ્યા છે.