ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 21, 2024 2:33 પી એમ(PM)

printer

જયપુર અજમેર ધોરીમાર્ગ પર થયેલા ગેસ ટેન્કર અકસ્માતમાં મૃત્યુઆંક 14 થયો છે

જયપુર અજમેર ધોરીમાર્ગ પર થયેલા ગેસ ટેન્કર અકસ્માતમાં મૃત્યુઆંક 14 થયો છે. 27 ઇજાગ્રસ્તોને SMS હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. છ ઇજાગ્રસ્તો વેન્ટિલેટર પર છે જ્યારે કેટલાકની
હાલત નાજુક છે. જયપુર જિલ્લા કલેક્ટર જીતેન્દ્રકુમાર સોનીએ ઘટનાની તપાસ માટે સંયુક્ત તપાસ સમિતિની રચના કરી છે.      

ટેન્કર અકસ્માત ગઈકાલે સવારે જયપુર-અજમેર હાઈવે પર ભાંકરોટા વિસ્તારમાં થયો હતો જ્યારે એલપીજી ટેન્કરમાં વિસ્ફોટ થતાં 40 વાહનો બળી ગયા હતા. હાઈવેની બાજુમાં આવેલી એક પાઈપ ફેક્ટરી
પણ બળીને ખાખ થઈ ગઈ હતી.