ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 23, 2025 3:20 પી એમ(PM)

printer

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્રનું મોત નીપજ્યું

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્રનું મોત નીપજ્યું છે. જ્યારે એક પ્રવાસી ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોના મૃતદેહ અને ઈજાગ્રસ્ત તેમ જ જિલ્લાના 17 નાગરિકોને પરત લાવવા વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર ભાવનગરના પ્રવાસીઓ સાથે સતત સંપર્કમાં છે તેમ જિલ્લા કલેક્ટર ડૉક્ટર મનીષ કુમાર બંસલે જણાવ્યું હતું.

બીજી તરફ, આ આતંકી હુમલામાં સુરતના એક વ્યક્તિનું પણ મોત નીપજ્યું છે. તેમના મૃતદેહને અને તેમના પરિવારને આજે સાંજ સુધીમાં સુરત પરત લાવવામાં આવશે તેમ અધિક કલેક્ટર વિજય રબારીએ જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ