ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 14, 2024 1:58 પી એમ(PM)

printer

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના બે જવાન શહીદ થયા છે અને અન્ય બે ઇજાગ્રસ્ત થયા છે

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓ સાથેનીઅથડામણમાં સેનાના બે જવાન શહીદ થયા છે અને અન્ય બે ઇજાગ્રસ્ત થયા છે. મળેલી ગુપ્ત માહિતીને આધારે સુરક્ષા દળોએ કિશ્તવાડજિલ્લાના છત્રુ બેલ્ટના નૈડગામ વિસ્તારમાં સંયુક્ત ઘેરાબંધી અને શોધ અભિયાન શરૂ કર્યું.ઓપરેશન દરમિયાન નૈડગામ ગામની નજીકના જંગલ વિસ્તારમાં સુરક્ષા દળો અને છુપાયેલા આતંકવાદીઓવચ્ચે ગોળીબાર થયો હતો. જેમાં ચાર જવાનોને ગોળી વાગતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાંદાખલ કરાયા હતા. આકાશવાણી જમ્મુના સંવાદદાતાએ જણાવ્યું કે જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકવાદીઓઆ વિસ્તારમાં છે. હાલ ઓપરેશન ચાલુ છે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.