ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 15, 2025 8:03 પી એમ(PM)

printer

જમ્મુ અને કાશ્મીર સરકારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટેના પછાત વર્ગના પંચની કામગીરીની મુદત વધારીને 28 ફેબ્રુઆરી 2025 કરી છે

જમ્મુ અને કાશ્મીર સરકારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટેના પછાત વર્ગના પંચની કામગીરીની મુદત વધારીને 28 ફેબ્રુઆરી 2025 કરી છે. આ પંચની મુદત ગત 31મી ડિસેમ્બર 2024ના રોજ પૂરી થઈ હતી. સૂચિત પંચ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં પોતાનો અહેવાલ રજૂ કરે તેવી સંભાવના છે. આ અહેવાલ મળતાં જ સંબંધિત પેનલની રચના કરાશે, અને જમ્મુ – કાશ્મીરમાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીનો માર્ગ મોકળો થશે.