જાન્યુઆરી 9, 2026 9:26 એ એમ (AM)

printer

જમ્મુ અને કાશ્મીરને આતંકવાદ મુક્ત કરવાના લક્ષ્ય માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આતંકવાદી માળખા અને આતંકવાદી ભંડોળને લક્ષ્ય બનાવતી આતંકવાદ વિરોધી કાર્યવાહી મિશન મોડમાં ચાલુ રાખવી જોઈએ.જમ્મુ અને કાશ્મીર પર ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકમાં શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરને શક્ય તેટલી વહેલી તકે આતંકવાદ મુક્ત કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમામ સંસાધન અને સહકાર કેન્દ્ર સરકાર પૂરી પાડશે આ સાથે આતંકવાદ અંગે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા દોહરવી હતી.શ્રી શાહે તમામ સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવા અને કલમ 370 રદ કર્યા પછી મળતા અનેક સુવિધા અને લાભને લોકો સુધી પહોંચાડવા માટે સુમેળ સાથે કામ કરવાનો નિર્દેશ આપ્યો.શ્રી શાહે કહ્યું કે મોદી સરકારના સતત અને સંકલિત પ્રયાસોને કારણે, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઇકો-સિસ્ટમ ખોરવાઈ ગઈ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.