ફેબ્રુવારી 13, 2025 6:40 પી એમ(PM) | જમ્મુ અને કાશ્મીર

printer

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી ક્વોરન્ટાઇન સેન્ટરમાં ત્રણ અઠવાડિયા રહ્યા બાદ, કોટરંકા સબ-ડિવિઝનના બુધલ ગામના લોકોને તેમના ઘરે પરત કરાયા

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી ક્વોરન્ટાઇન સેન્ટરમાં ત્રણ અઠવાડિયાથી વધુ સમય રહ્યા બાદ, કોટરંકા સબ-ડિવિઝનના બુધલ ગામના લોકોને તેમના ઘરે પરત મોકલવામાં આવી રહ્યા છે. 17 લોકોના રહસ્યમય મૃત્યુ બાદ આ લોકોને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ખસેડાયા હતા.
અમારા જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ, આ વિસ્તારમાં રહસ્યમય મૃત્યુની ઘટનાને ધ્યાનમાં રાખીને, ગ્રામજનોની સલામતી અને તપાસના હેતુથી આ લોકોને ગયા મહિનાની 8મી તારીખે રાજૌરી લાવવામાં આવ્યા હતા. રહેવાસીઓને પાછા મોકલવાનો નિર્ણય આરોગ્ય નિષ્ણાતો સહિત સ્થાનિક અધિકારીઓ દ્વારા સંપૂર્ણ મૂલ્યાંકન પછી લેવામાં આવ્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.