ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 15, 2025 7:51 પી એમ(PM)

printer

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચિસ્તોટી ગામમાં ગઈકાલે વાદળ ફાટવાથી ત્યાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચિસ્તોટી ગામમાં ગઈકાલે વાદળ ફાટ્યો હતો ત્યાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જમ્મુના સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે મુખ્યમંત્રીએ શ્રીનગરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીને સંબોધિત કરતા કહ્યું હતું કે અકસ્માતમાં મૃત્યુઆંક 60 પર પહોંચી ગયો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે 100 થી વધુ લોકો ઘાયલ થયા છે અને ગુમ થયેલા લોકોને શોધવા માટે શોધ કામગીરી ચાલુ છે. દરમિયાન, NDRF, SDRF અને સ્થાનિક અધિકારીઓની બચાવ ટીમો ગુમ થયેલા લોકોને શોધવા માટે કામ કરી રહી છે. અકસ્માતને કારણે વાર્ષિક માચૈલ માતા યાત્રા સ્થગિત કરવામાં આવી છે.
દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે વાત કરી હતી અને કિશ્તવાડની પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી હતી.
વહીવટીતંત્રે લોકો અને યાત્રાળુઓને મદદ કરવા માટે એક નિયંત્રણ કક્ષ સ્થાપ્યો છે.
જેના નંબરો છે: ૯૮૫૮૨૨૩૧૨૫, ૬૦૦૬૭૦૧૯૩૪, ૯૭૯૭૫૦૪૦૭૮, ૮૪૯૨૮૮૬૮૯૫, ૮૪૯૩૮૦૧૩૮૧ અને ૭૦૦૬૪૬૩૭૧૦.