જાન્યુઆરી 15, 2026 7:53 પી એમ(PM)

printer

છત્તીસગઢમાં, 52 માઓવાદીએ સુરક્ષાદળો સમક્ષ આત્મસમર્પણ કર્યું.

છત્તીસગઢમાં, આજે બીજાપુર જિલ્લામાં 52 માઓવાદીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું. આ માઓવાદીઓ પર કુલ 1 કરોડ 45 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આત્મસમર્પણ કરનારાઓમાં 21 મહિલા માઓવાદીઓનો સમાવેશ થાય છે.
આત્મસમર્પણ કરનારા દક્ષિણ સબ-ઝોનલ બ્યુરો અને માઓવાદીઓની ભૈરમગઢ એરિયા કમિટી સાથે સંકળાયેલા હતા. છત્તીસગઢ સરકારની પુનર્વસન નીતિ હેઠળ, દરેક આત્મસમર્પણ કરનારા માઓવાદીઓને 50 હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે.