ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 20, 2025 2:28 પી એમ(PM)

printer

છત્તીસગઢમાં સુરક્ષા દળ અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે માઓવાદી ઠાર

છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં સુરક્ષા દળ અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે માઓવાદી ઠાર મરાયા છે. આ અથડામણમાં પોલીસકર્મીઓ પણ શહીદ થયા છે. મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોની એક સંયુક્ત ટુકડીએ બિજાપુર અને દંતેવાડા જિલ્લાની સરહદ પર જંગલમાં નક્સલ વિરોધી અભિયાન હાથ ધર્યું હતું. દરમિયાન ગંગાલૂર વિસ્તારમાં સુરક્ષા દળ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.
સુરક્ષા દળોએ ઘટનાસ્થળે ઠાર મરાયેલા બંને નક્સલીઓના મૃતદેહ કબજે કર્યા છે. આ સાથે જ મોટી સંખ્યામાં હથિયાર અને દારૂગોળો પણ જપ્ત કર્યો છે. હજી પણ આ વિસ્તારમાં તપાસ અભિયાન યથાવત્ છે.