છત્તીસગઢમાં ગઈકાલે રાત્રે રાયપુરના સારાગાંવ નજીક થયેલા માર્ગ અકસ્માતમાં ૧૩ના મોત થયા છે. મૃતકોમાં ૯ મહિલા અને ૪ બાળકનો સમાવેશ થાય છે.આ માર્ગ અકસ્માતમાં ૧૩થી વધુ ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. એક વાહન ખરોરા નજીક ટ્રક સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં લગભગ ૪૦ લોકો સવાર હતા. ઇજાગ્રસ્તોને રાયપુરની હોસ્પિટલ અને ખારોરાના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સારવાર અપાઈ રહી છે.
Site Admin | મે 12, 2025 1:36 પી એમ(PM)
છત્તીસગઢમાં રાયપુર નજીક થયેલા માર્ગ અકસ્માતમાં ૧૩ના મોત
