સપ્ટેમ્બર 3, 2024 8:08 પી એમ(PM) | સલામતી દળો

printer

છત્તીસગઢમાં આજે સલામતી દળો સાથેની અથડામણમાં નવ માઓવાદીનાં મૃત્યુ થયા

છત્તીસગઢમાં આજે સલામતી દળો સાથેની અથડામણમાં નવ માઓવાદીનાં મૃત્યુ થયા છે. બસ્તર ડિવિઝનના દંતેવાડા અને બિજાપુર જિલ્લાનાં સરહદી વિસ્તારમાં આ અથડામણ થઈ હતી. સલામતી દળોને આ વિસ્તારમાં મોટી સંખ્યામાં માઓવાદી છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ કેન્દ્રીય અનામત પોલિસ દળ- CRPF અને જિલ્લા અનામત રક્ષક- DRGની સંયુક્ત ટૂકડીને આ વિસ્તારમાં શોધ અભિયાન માટે મોકલવામાં આવી હતી. આ દરમિયાન, બૈલાડીલા પર્વત પાસે સલામતી દળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થતાં નવ માઓવાદીનાં મૃત્યુ થયા હતા.
ઘટના સ્થળેથી સેલ્ફ-લોડિંગ રાઇફલ ઉપરાંત બે અન્ય રાઇફલ મળી આવી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.