છત્તીસગઢના બિલાસપુર શહેર નજીક આજે સાંજે એક ટ્રેન અકસ્માત થયો. લાલખાદન નજીક એક પેસેન્જર ટ્રેન માલગાડી સાથે અથડાઈ. ઘટનાસ્થળેથી અત્યાર સુધીમાં ચાર મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનામાં 20 લોકો ઘાયલ થયાની આશંકા છે. રેલવે, જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.
Site Admin | નવેમ્બર 4, 2025 8:31 પી એમ(PM)
છત્તીસગઢના બિલાસપુરમાં બે ટ્રેન વચ્ચેના અકસ્માતમાં ચારનાં મોત- 20 લોકો ઘાયલ