ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન કોઈનો મત કાઢી શકતું નથી. કર્ણાટકના અલંદમાં કોઈ પણ મતદારનું નામ ખોટી રીતે કાઢી નાખવામાં આવ્યું નથી. પંચે જણાવ્યું હતું કે 2023 માં, નામ કાઢી નાખવાના શંકાસ્પદ પ્રયાસ સામે FIR દાખલ કરવામાં આવી હતી. પંચે જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિનું નામ મતદાર યાદીમાંથી તેમને સાંભળવાની તક આપ્યા વિના દૂર કરી શકાતું નથી.
પંચે અનુસાર, અલંદમાં કાઢી નાખવા માટેની 6 હજાર 18 અરજીઓ મળી હતી, જેમાંથી ફક્ત 24 માન્ય હોવાનું જાણવા મળ્યું હતું.
રાજુરા, ચંદ્રપુર, મહારાષ્ટ્રમાં, મતદાર નોંધણી માટે 7 હજાર 792 અરજીઓ મળી હતી. તેમાંથી, 6 હજાર 861 અરજીઓ અમાન્ય હોવાનું જાણવા મળ્યું હતું
Site Admin | સપ્ટેમ્બર 20, 2025 8:34 એ એમ (AM)
ચૂંટણીપંચે સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન કોઈનો પણ મત કાઢી શકતું નથી