અરૂણાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોને નવા નામ આપવાનાં ચીનનાં સતત પાયાવિહોણા અને હાસ્યાસ્પદ પ્રયાસને ભારતે સ્પષ્ટપણે ફગાવી દીધા છે. પત્રકાર પરિષદને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, આવા પગલા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને ભારતના સુસંગત અને સૈદ્ધાંતિક વલણના પ્રત્યક્ષ વિરોધમાં છે.
શ્રી જયસ્વાલે ભારપૂર્વક જણાવ્યું કે, ગમે તેટલા સર્જનાત્મક નામકરણ ભારતના સ્પષ્ટ અને સત્યને બદલી ન શકે અને અરૂણાચલ પ્રદેશ ભારતનું અવિભાજ્ય અને અભિન્ન હિસ્સો છે અને રહેશે.
Site Admin | મે 14, 2025 2:14 પી એમ(PM)
ચીન દ્વારા અરૂણાચલ પ્રદેશના કેટલાંક વિસ્તારોના નવા નામકરણ સામે ભારતે સખત વિરોધ નોંધાવ્યો