ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 5, 2025 3:15 પી એમ(PM)

printer

ચંદ્રગ્રહણને કારણે શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં દૈનિક પૂજા–આરતી યોજાશે નહીં.

ચંદ્રગ્રહણને કારણે શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં દૈનિક પૂજા–આરતી યોજાશે નહીં. મંદિર માત્ર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રગ્રહણને પગલે, શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં મધ્યાહન પુજન-આરતી તેમજ સાયં આરતી સહિત નિત્ય પૂજા જેમાં ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા, સોમેશ્વર મહાપૂજન, યજ્ઞ અને રુદ્રાભિષેક,પાઠાત્મક અનુષ્ઠાન ગ્રહણ દરમિયાન બંધ રહેશે. ગ્રહણ મોક્ષ બાદ 8 સપ્ટેમ્બરના રોજ પ્રાતઃ દૈનિક પૂજા અને આરતી પુનઃપ્રારંભ થશે.