નવેમ્બર 25, 2024 2:23 પી એમ(PM)

printer

ગોવાના બેસિલિકા ઓફ બોમ જીસસ ચર્ચ ખાતે સ્પેનિશ મિશનરી સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરના પવિત્ર અવશેષો નિહાળી શકાશે

ગોવાના બેસિલિકા ઓફ બોમ જીસસ ચર્ચ ખાતે સ્પેનિશ મિશનરી સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરના પવિત્ર અવશેષો નિહાળી શકાશે. 21 મી નવેમ્બરથી શરૂ થયેલું સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરના પવિત્ર અવશેષોનું 18મું પ્રદર્શન 5 મી જાન્યુઆરી 2025 સુધી નિહાળી શકાશે. દાયકામાં એકવાર યોજાતા આ પ્રદર્શનમાં ભારત અને વિદેશમાંથી હજારો યાત્રાળુઓ ભાગ લે છે. ઉલ્લેખનીય છે કે સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરના નશ્વર અવશેષો 1624 થી અહી સચવાયેલા છે.
ચર્ચ સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે 45-દિવસના આ કાર્યક્રમ દરમિયાન 8 મિલિયનથી વધુ લોકો અહી આવે તેવી શક્યતા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.