ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદની સેશન્સ અદાલતે ગૌ હત્યાના ઈરાદે પશુઓની ચોરી કરનારા બે આરોપીને ફરમાવેલી સજાને આવકારી છે. શ્રી સંઘવીએ જણાવ્યું કે આ
મહિનામાં આ ત્રીજા કેસનો ચુકાદો સામે આવ્યો છે. તેમણે આ કાર્યવાહી માટે રાજ્ય પોલીસ અને કાયદા વિભાગને અભિનંદન પાઠવ્યા હતા.ઉલ્લેખનીય છે કે ગઇકાલે અમદાવાદની સેશન્સ અદાલતે ગૌ હત્યાના ઈરાદે પશુઓની ચોરી કરનારા બે આરોપીને સાત વર્ષની કેદ અને એક લાખ પાંચ હજાર રૂપિયાનો દંડ કર્યો હતો.
Site Admin | માર્ચ 25, 2025 6:57 પી એમ(PM)
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદની સેશન્સ અદાલતે ગૌ હત્યાના ઈરાદે પશુઓની ચોરી કરનારા બે આરોપીને ફરમાવેલી સજાને આવકારી છે
