ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે રાષ્ટ્રગીત, વંદે માતરમ, દેશભક્તિ, બલિદાન અને રાષ્ટ્રીય ચેતનાનું પ્રતીક બન્યું, જેનાથી સ્વતંત્રતા ચળવળનો માર્ગ મોકળો થયો. રાજ્યસભામાં વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર ચર્ચા શરૂ કરતા શ્રી શાહે જણાવ્યું હતું કે આ અમર કાર્ય ભારત માતા પ્રત્યે ફરજ અને ભક્તિની ભાવના જાગૃત કરે છે.
શ્રી શાહે જણાવ્યું હતું કે વંદે માતરમ દ્વારા, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે દેશને માતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ તરીકે પૂજવાની પરંપરા સ્થાપિત કરી હતી. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે બંને ગૃહોમાં વંદે માતરમ પર ચર્ચા ભવિષ્યની પેઢીઓને તેનું સાચું મહત્વ સમજવામાં મદદ કરશે.
ચર્ચામાં ભાગ લેતા, રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે કોંગ્રેસે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન વંદે માતરમને એક સૂત્ર બનાવ્યું હતું. જ્યારે 1921માં મહાત્મા ગાંધીએ અસહકાર ચળવળ શરૂ કરી હતી, ત્યારે લાખો કોંગ્રેસી સ્વાતંત્ર્ય સેનાનીઓ વંદે માતરમ ગીત ગાતા જેલમાં ગયા હતા. શ્રી ખડગેએ કહ્યું કે, વંદે માતરમ ગીત ભારતના જાહેર જીવનમાં ત્યારે આવ્યું જ્યારે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે 1896માં કલકત્તામાં કોંગ્રેસ અધિવેશનમાં આ ગીતને પ્રથમવાર ગાયું હતું.
Site Admin | ડિસેમ્બર 9, 2025 8:11 પી એમ(PM)
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, રાષ્ટ્રગીત, વંદે માતરમ, દેશભક્તિ, બલિદાન અને રાષ્ટ્રીય ચેતનાનું પ્રતીક બન્યું