રાજ્યના કાયદા અને વ્યવસ્થા અંગે યોજાયેલી બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને અનેક આદેશ આપ્યા છે. તેમણે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના આદેશથી 100 કલાકમાં તૈયાર કરાયેલી અસામાજિક તત્વોની યાદી પર પગલા લેવા આદેશ આપ્યો છે. શ્રી સંઘવીએ ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વો સામે આજથી જ પગલાં લેવા જણાવ્યું છે.
આ ઉપરાંત જાહેર માર્ગ કે જગ્યાઓ પર લોકોને હેરાન કરતા લોકો, હથિયારો અને પ્રતિબંધિત વસ્તુઓ સાથે ફરતા લોકો અને તમામ સરહદી જિલ્લાઓ પરની સરહદ પર સઘન તપાસની વ્યવસ્થા કરવા પણ શ્રી સંઘવીએ આદેશ આપ્યા છે.
બીજી તરફ, હવે Dy.SP, S.P., D.C.P. અને તેનાથી ઉપરના તમામ અધિકારીઓએ પોતાનું રિપોર્ટ કાર્ડ રાજ્ય પોલીસ વડાને મોકલવું પડશે. ગૃહ રાજ્યમંત્રી અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તમામ રિપોર્ટ કાર્ડની સમીક્ષા કરશે. બેઠકમાં શ્રી સંઘવીએ અધિકારીઓ અરજદારોને રૂબરૂ મળે તેના પર પણ ભાર મૂક્યો હતો.
Site Admin | માર્ચ 18, 2025 7:59 એ એમ (AM)
ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વો સામે આજથી જ પગલાં લેવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આદેશ
