ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 6, 2025 7:20 પી એમ(PM)

printer

ગુજરાત વિધાનસભા સત્રના પહેલા દિવસે પ્રશ્નોત્તરી અને શોકદર્શક ઠરાવ રજૂ કરાશે

ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્ર પહેલા આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ. સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, બેઠકમાં વિધાનસભા ગૃહ માટેના કામકાજની ચર્ચા થઈ. સત્રના પહેલા દિવસે પ્રશ્નોત્તરી અને શોકદર્શક ઠરાવ કરાશે અને પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અપાશે. બીજા દિવસે “ઑપરેશન સિન્દૂર” તથા વસ્તુ અને સેવા કર – GST ફેરફાર અંગે અભિનન્દન પ્રસ્તાવ રજૂ કરાશે.