ગુજરાતી સાહિત્ય પરિષદનું 34મું જ્ઞાનસત્ર આવતીકાલથી આઠ ડિસેમ્બર દરમિયાન મહુવાના કૈલાસ ગુરુકુળના પરિસરમાં યોજાશે. સત્રના પહેલા દિવસે પરિષદની વાર્ષિક પ્રવૃત્તિઓનો અહેવાલ મહામંત્રી રજૂ કરશે. જ્યારે બીજા દિવસે નિષ્ણાતો વિવિધ વિષયો પર વક્તવ્ય આપશે.
આ વખતે પરિષદનો નવતર પ્રયોગ વિદ્યાર્થીઓની બેઠકનો છે, જેમાં રાજ્યની તમામ વિશ્વ-વિદ્યાલયના પ્રતિનિધિ વિદ્યાર્થીઓ સ્ટેજ એટલે કે, મંચ પર બેસી શ્રોતામાં ઉપસ્થિત સાહિત્યકારો સાથે પ્રશ્નોત્તરી કરશે.
ઉલ્લેખનીય છે કે, આ જ્ઞાનસત્રમાં રાજ્ય અને મુંબઈના અંદાજે 400 જેટલા સાહિત્યરસિકો ઉપસ્થિત રહેશે.
Site Admin | ડિસેમ્બર 4, 2024 7:25 પી એમ(PM)
ગુજરાતી સાહિત્ય પરિષદનું 34મું જ્ઞાનસત્ર આવતીકાલથી આઠ ડિસેમ્બર દરમિયાન મહુવાના કૈલાસ ગુરુકુળના પરિસરમાં યોજાશે
