ગુજરાતી કાવ્ય સંગીતના ચિરંજીવ સ્વર પુરૂષ પદ્મશ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાયનું 90 વર્ષની વયે નિધન થયું હતું. તેમની જીવન સંગીત યાત્રા અને વારસાને વધાવવા માટે આજે સાંજે અમદાવાદમાં સ્મૃતિ સભા ચાલી રહી છે.
“ને તમે યાદ આવ્યા” ના શિર્ષક હેઠળ આયોજીત આ સ્મૃતિ સભામાં ગુજરાતી કાવ્ય સંગીતના ગાયક કલાકારો આરતી મુનશી, કલ્યાણી કૌઠાળકર, જ્હાનવી શ્રીમાનકર, અમર ભટ્ટ, નયન પંચોલી, શ્યામલ-સૌમીલ મુનશી પુરૂષોત્તમ ઉપાધ્યાયના કેટલાક સ્વરાંકનોની રજૂઆત કરી હતી. કવિશ્રી અંકિત ત્રિવેદી અને તુષાર શુક્લે તેમના સંસ્મરણોને વાગોળ્યા હતા.