ગુજરાતના સૌરાષ્ટ્રમાં કુલ 891 સિંહ વસવાટ કરતાં હોવાનું સિંહોની વસ્તી ગણતરીમાં સ્પષ્ટ થયું છે. આજે ગાંધીનગર ખાતે 16માં સિંહ વસ્તી અંદાજના આંકડા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાહેર કર્યા હતા. તાજેતરમાં જ રાજ્યમાં સિહોની 16મી વસ્તી ગણતરી થઇ હતી. સિહોની વસ્તીનો અંદાજ જાહેર કરતાં મુખ્યમંત્રીએ પ્રોજેક્ટ લાયન 2047માં મહત્વની ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરી અને ગીરમાં વસતા સિંહ સહિત અન્ય વન્ય પ્રાણીઓને સાચવવાની જવાબદારી નિભાવવા નાગરિકોને અપીલ કરી હતી.
આ વર્ષે સિંહોની વસ્તી ગણતરીમાં 3 હજારથી વધુ લોકોએ ભાગ લીધો. બીજી તરફ વન વિભાગે સૌ પ્રથમ વખત સ્થાનિક સરપંચ અને આગેવાનોની પણ સિંહ ગણતરીમાં મદદ લીધી હતી, રાજ્યના વન વિભાગ દ્વારા 35 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સિંહ વસ્તી ગણતરી કરવામાં આવી જેમાં 11 જિલ્લાના 58 તાલુકાનો પણ સમાવેશ કરાયો હતો.
Site Admin | મે 21, 2025 2:01 પી એમ(PM)
ગુજરાતમાં સિંહની વસ્તી ગણતરી પ્રમાણે કુલ 891 સિંહ વસવાટ કરતાં હોવાનું અનુમાન.
