નવેમ્બર 19, 2025 3:55 પી એમ(PM)

printer

ગુજરાતમાં લાંબા સમય બાદ વાઘનું આગમન…

ગુજરાતમાં લાંબા સમય બાદ વાઘનું આગમન થયું છે. દાહોદના રતનમહાલમાં વાઘ જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશ રાજ્યમાં આ વાઘ આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે તેને પૂરતો ખોરાક મળી રહે તે માટે નવા શિકાર માટેની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું વાઇલ્ડલાઈફના અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉ.જયપાલ સિંઘે જણાવ્યું હતું.
વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ પણ વાઘના આગમનની પુષ્ટિ કરી હતી. ત્યારે રાજ્યમાં વાઘની હાજરીને પગલે વનતંત્ર, પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિકોમાં ઉત્સાહનો માહોલ વ્યાપ્યો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.