ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર ૧૦૦ રૂપિયા પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે.. પશુપાલકોને આર્થિક સંરક્ષણ પૂરું પાડવા રાજ્ય સરકારે નવી પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી: હોવાનું પશુપાલનમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું..આ યોજનાને વધુ અસરકારક બનાવવા ગુજરાત પશુધન વિકાસ બોર્ડ અને ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની વચ્ચે ગાંધીનગર ખાતે સમજૂતીના કરાર થયા હતા..
આ નવી યોજનાનો લાભ આપવા પશુપાલકો માટે આઈ-ખેડૂત પોર્ટલ ૧૪મી નવેમ્બરથી એક મહિનાસુધી ખુલ્લું મૂકાશે અને પ્રતિ પશુપાલક ૧ થી ૩ વેતરના હોય તેવા ગાય-ભેંસ વર્ગના મહત્તમ ૩ પશુઓ માટે સહાય અપાશે પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના ૫૦ હજાર જેટલા પશુઓને આ યોજના હેઠળ આવરી લેવાનું સરકાર દ્વારા આયોજન કરાયું છે.
Site Admin | નવેમ્બર 13, 2024 7:18 પી એમ(PM)
ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર ૧૦૦ રૂપિયા પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે
