વર્ષ 2030માં 100મી રાષ્ટ્રમંડળ રમતનું આયોજન કરવા માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે ગ્લાસગોમાં જનરલ એસેમ્બલીમાં 74 કોમનવેલ્થ દેશોના પ્રતિનિધિઓ દ્વારા આ નિર્ણયને
મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયા સહિત મહાનુભાવોએ આ નિર્ણયને વધાવતા આનંદ વ્યક્ત કર્યો.
મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ આપવાનો નિર્ણય દેશ માટે ગર્વની ક્ષણ છે.
ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગેમ્સની યજમાની મળવાને ગૌરવ સમાન ગણાવ્યું હતું.
Site Admin | નવેમ્બર 27, 2025 7:39 એ એમ (AM)
ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળવાના અવસરને રમત ગમત મંત્રીએ ગૌરવની ક્ષણ ગણાવી