ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રીસર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીનેખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે .આજે વિધાનસભા ગૃહમાંધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યુંહતું. પોતાના જવાબમાં તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં ૯૦૪, કોડીનારમાં ૨૧૧, વેરાવળમાં ૧૩૧ તેમજસૂત્રાપાડા તાલુકામાં ૬૮૪ એમ ચાર તાલુકામાં તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ની સ્થિતિએછેલ્લા એક વર્ષમાં ખેડૂતોની કુલ એક હજાર ૯૩૦ અરજીઓની જમીન રી સર્વે કરવાની કામગીરીપૂર્ણ કરવામાં આવી છે. જ્યારે બાકી રહેલી અરજીઓના નિકાલ માટે ગામોના ક્લસ્ટરબનાવીને માઇક્રો પ્લાનિંગથી પૂર્ણ કરવાની કામગીરી પ્રગતિમાં છે.જે બનતી ત્વરાએપૂર્ણ કરવામાં આવશે. આ અરજીઓનો નિકાલ કરવા માટે ખેડૂતો પાસેથી કોઈપણ પ્રકારનોચાર્જ લેવામાં આવતો નથી
Site Admin | માર્ચ 17, 2025 3:03 પી એમ(PM)
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રીસર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે : મંત્રી બલવંતસિંહ રાજપૂત
