ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 17, 2025 7:47 એ એમ (AM)

printer

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના પદનામિત મંત્રીઓની આજે ગાંધીનગરમાં શપથવિધિ થશે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓની આજે શપથવિધિ થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શપથવિધિ સમારોહ યોજાશે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મંત્રીમંડળના વિસ્તરણમાં સમાવિષ્ટ થનારા પદનામિત મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવશે. નવા મંત્રીમંડળમાં અનેક નવા ચહેરાઓને પણ તક મળવાની શક્યતા છે.આ અગાઉ મંત્રીમંડળના સભ્યોએ રાજીનામા આપ્યા હતા. દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ રાત્રે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી હતી. અગાઉ મંત્રીમંડળમાં કુલ 16 મંત્રીઓનો સમાવેશ કરાયો હતો જેમાં 8 કેબિનેટ કક્ષાના, 2ને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો તેમજ 6 રાજ્યકક્ષાના મંત્રી સામેલ હતા.