ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પવિત્ર સ્નાન કરશે.
શ્રી પટેલ આજે બપોરે સાડા બાર વાગે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરશે. આ પૂર્વે તેઓ સાડા નવ વાગે પ્રયાગરાજમાં બડે હનુમાનજી મંદિરના દર્શન-પૂજન કરશે.
તેઓ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઉભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત લેશે અને સાંજે ગાંધીનગર પરત ફરશે.
Site Admin | ફેબ્રુવારી 7, 2025 10:04 એ એમ (AM)
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પવિત્ર સ્નાન કરશે
