નવેમ્બર 26, 2025 1:57 પી એમ(PM)

printer

ગુજરાતના કમરસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય એકતા પદયાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આજે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ ગુજરાતના કરમસદથી રાષ્ટ્રીય પદયાત્રાનો આરંભ થયો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રાષ્ટ્રીય પદયાત્રાનો આરંભ કરાવ્યો હતો. ૧૧ દિવસની આ પદયાત્રા ૬ ડિસેમ્બરે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સંપન્ન્ થશે, જે આશરે ૧૯૦ કિલોમીટરનું અંતર કાપશે. આ પદયાત્રા સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં એક રાષ્ટ્રવ્યાપી પહેલ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.