ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજે આરટીઆઇની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તાલીમનો મુખ્ય હેતુ મહાનગરપાલિકાના જાહેર માહિતી અધિકારીઓને આરટીઆઇ અધિનિયમની જોગવાઈઓ અને તેના અમલીકરણ અંગે સઘન માહિતી આપવાનો હતો. ગુજરાત માહિતી આયોગના સચિવ જયદીપ ત્રિવેદીએ આરટીઆઇ અરજીઓના યોગ્ય અને સમયસર નિકાલ, માહિતી આપવાની પ્રક્રિયા અને આરટીઆઇ સંબંધિત અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓપર વિગતવાર ચર્ચા કરી હતી.
Site Admin | માર્ચ 17, 2025 6:16 પી એમ(PM) | આરટીઆઇ
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજે આરટીઆઇની તાલીમનું આયોજન કરવામાં આવ્યું
