મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્તમાન સમયની જીવનશૈલીમાં યોગ અને ધ્યાન ધરવાની જરૂરિયાત પર ભાર આપ્યો. ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય યોગ બૉર્ડના યોગ કૉચ અને યોગ ટ્રૅનરના પદવીદાન સમારોહ તથા વિશ્વ ધ્યાન દિવસ ઉજવણી કાર્યક્રમને સંબોધતાં શ્રી પટેલે ધ્યાન-ને ભારતની પ્રાચીન પરંપરામાંથી ઉપજી આવેલું અમૂલ્ય વરદાન ગણાવ્યું. તેમણે યોગ અને ધ્યાનની પ્રાચીન પરંપરાને જન આંદોલન બનાવવા પણ લોકોને અપીલ કરી.
Site Admin | ડિસેમ્બર 21, 2025 7:19 પી એમ(PM)
ગાંધીનગરમાં વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, યોગ અને ધ્યાન એ વર્તમાન સમયની જરૂરિયાત.