નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર સિવિલ હૉસ્પિટલની મુલાકાત લીધી. તેમણે ટાઈફોઈડના દર્દીઓના ખબર-અંતર પૂછ્યાં. સાથે જ દર્દીઓને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવા શ્રી સંઘવીએ અધિકારીઓને સૂચના આપી. તેમણે કહ્યું દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે 22 નિષ્ણાંત તબીબની ટુકડી તહેનાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટૅલિફોનિક વાતચીતમાં આ સ્થિતિની સમીક્ષા કરી હોવાનું શ્રી સંઘવીએ ઉંમેર્યું.
Site Admin | જાન્યુઆરી 3, 2026 7:19 પી એમ(PM)
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસોમાં અચાનક ઉછાળો આવતા સરકાર હરકતમાં- ૨૨ ડોક્ટરોની ટીમ તૈનાત.