હિન્દી દિવસ-૨૦૨૫ અને પાંચમું અખિલ ભારતીય રાજભાષા સંમેલન આવતીકાલથી બે દિવસ માટે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ સંમેલનનું ઉદઘાટન કરશે .. આ સંમેલનની માહિતી આપવા માટે આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં ગૃહ મંત્રાલયના રાજભાષા વિભાગના સચિવ અંશુલી આર્યાએ કહ્યું હતું કે આ બે દિવસના સંમેલનનો ઉદ્દેશ હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓ વચ્ચે સમરસતા અને સમન્વય વધારવાનો છે. આ બે દિવસના સંમેલન દરમિયાન વિવિધ સત્ર યોજાશે, અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના 6,000 થી વધુ અધિકારીઓ ભાગ લેશે.
તેમણે કહ્યું કે આ વર્ષના સંમેલન દરમિયાન ભારતીય નામના બહુભાષીય અનુવાદ ટૂલનો પણ શુભારંભ થશે અને કેટલીક નવી પહેલો પણ શરૂ કરાશે.
Site Admin | સપ્ટેમ્બર 13, 2025 8:16 પી એમ(PM)
ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે પાંચમા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું ઉદઘાટન કરશે.
