જુલાઇ 7, 2025 7:17 પી એમ(PM)

printer

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યના નુકસાનગ્રસ્ત માર્ગોનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા મુખ્યમંત્રીની સૂચના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં માર્ગ-પુલ-ધોરીમાર્ગોની સ્થિતિની સમીક્ષા કરી. આ બેઠકમાં શ્રી પટેલે વરસાદ વિનાનો કે ઓછો વરસાદ હોય તેવો દિવસે પણ કામગીરી ચાલુ રહે તે માટે તાકીદ કરી હતી.
બેઠક દરમિયાન મુખ્યમંત્રી સમક્ષ ધોરીમાર્ગની સ્થિતિ અંગે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ-NHAIના અધિકારીઓએ કહ્યું કે, આ વર્ષે ચોમાસા દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગને જે 83 કિલોમીટરમાં નુકસાન થયું છે તેમાંથી 58 કિલોમીટરમાં સમારકામ પૂર્ણ થયું છે અને બાકીના 25 કિલોમીટરનું કામ ત્વરાએ પૂર્ણ કરી દેવાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.