ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 2, 2025 6:50 પી એમ(PM)

printer

આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ કહ્યું, રોગચાળાને અટકાવવા આરોગ્ય કેન્દ્રો અને સરકારી હૉસ્પિટલમાં પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ

આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાની અધ્યક્ષતામાં કમોસમી વરસાદના કારણે ફેલાતા રોગચાળાને અટકાવવા આજે બેઠક યોજાઈ. ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં શ્રી પાનશેરિયાએ ડૅન્ગ્યૂ, ચિકનગુનિયા જેવા રોગના નિયંત્રણ માટે દરેક જાહેર આરોગ્ય કેન્દ્ર – PHC, સામૂદાયિક આરોગ્ય કેન્દ્ર – CHC અને તમામ સરકારી હૉસ્પિટલમાં પૂરતી દવાઓના જથ્થા સાથે આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું.
શ્રી પાનશેરિયાએ કોઈ પણ ઝેરી જીવ કરડે તો અંધશ્રદ્ધાનો સહારો ન લેવા અને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર તથા સરકારી હૉસ્પિટલનો સંપર્ક કરવા લોકોને અપીલ કરી છે.