જુલાઇ 23, 2025 2:52 પી એમ(PM)

printer

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ.

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ બ્રિજના સરવે બાદની સ્થિતિ, ખરાબ માર્ગ અંગે મુખ્યમંત્રીએ આપેલી સૂચના બાદ હાથ ધરાયેલા કાર્યો, રાજ્યમાં વરસાદ અને જળાશયોની સ્થિતિ, ખરીફ પાક અને ખાતરની અછત તેમજ રાજ્યભરમાં આગામી આયોજનો અને નીતિગત વિષય અંગે સમીક્ષા કરવામાં આવી.