ગાંધીનગરની નભોઈ નહેરમાં કાર ખાબકતા ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, કારમાં ચાર લોકો સવાર હતા. કાર નહેરમાં પડી હોવાની જાણ થતાં અગ્નિશમન દળે ઘટનાસ્થળે પહોંચી કારને બહાર કાઢી. દરમિયાન બે યુવક અને એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
Site Admin | જુલાઇ 2, 2025 8:23 એ એમ (AM)
ગાંધીનગરની નભોઈ નહેરમાં કાર ખાબકતા ત્રણ લોકોના મોત